Gujarat

ડીસાના હોંશીલા નવયુવાન મયૂરકુમાર ખત્રીનું નાની ઉંમરે આકસ્મિક નિધન 

  ગિરગઢડા
   ભરત ગંગદેવ..
કુદરતના નિયત ક્રમ પાસે માનવી લાચાર અને મજબૂર છે.ડીસાના જાણીતા બિલ્ડર, દાનવીર તેમજ અનેક સત્કાર્યોના સહયોગી એવા શંકરભાઈ કીરી/ખત્રીના 32 વર્ષના ખૂબ જ હોંશીલા દીકરા મયૂરકુમારનું આકસ્મિક નિધન થતાં તેમના પરિવાર ઉપરાંત સમગ્ર ડીસા નગરમાં આઘાતની લાગણી ફેલાઈ હતી.
    સદગતની સ્મશાનયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં પરિવારજનો, સમાજજનો તેમજ નગરજનો જોડાયા હતા.ગાયત્રીમંત્ર,શાંતિમંત્ર,રામસ્તુતિ, હનુમાન ચાલીસા તેમજ બે મિનિટ મૌન દ્રારા સદગત આત્માની સદગતિ માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી.પ્રાર્થનાસભામાં સર્વ ભગવાનભાઈ બંધુ,પ્રકાશભાઈ ભરતીયા,મગનલાલ માળી, શંકરભાઈ કતીરા, રાજુભાઈ બી.ઠકકર (નગરપાલિકા પ્રમુખ),જસુભાઈ તન્ના,હરેશભાઈ વારડે(સમાજ પ્રમુખ) સહિત સૌએ સદગત મયૂરભાઈના ગુણાનુવાદ કરી દિવ્ય શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.સ્મશાનયાત્રામાં ઉપસ્થિત સૌએ શંકરભાઈ ખત્રી તેમજ પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના આપી હતી.

IMG-20220525-WA0287.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *