ગિરગઢડા
ભરત ગંગદેવ
ડીસા નગરના સૌ જલારામ ભકત ભાઈઓ તેમજ બહેનોને આદરપૂર્વક જણાવવાનું કે આજ તારીખ 3-2-2022 ગુરૂવારથી આપના નિવાસસ્થાન થી જલારામ મંદિર ડીસા સુધીની પદયાત્રાનો પ્રારંભ થઈ રહેલ છે.જે દર ગુરૂવારે ચાલુ રહેશે.આ પદયાત્રા દ્રારા દર ગુરૂવારે 125(સવાસો) જલારામ ભકતો જલારામ મંદિરે ચાલતા આવે તેવો લક્ષ્યાંક છે..
કાર્યક્રમ નીચે મુજબ રહેશે..
પોતાના નિવાસસ્થાન થી દર ગુરૂવારે સાંજે 6=30 કલાકે ચાલતા જલારામ મંદિર ડીસા પહોંચી જવું.
સાંજે 6=45 વાગે મહા આરતીમાં જોડાવાનું રહેશે.. ડીસા નગરના ખૂબ જ પૂન્યશાળી,ભાગ્યશાળી,નસીબદાર જલારામ ભકતોને આજથી જ પદયાત્રામાં જોડાઈ પૂજ્ય જલારામ બાપાના દર્શનનો લાભ લેવા વિનંતી છે..
નોંધ:પદયાત્રામાં આપ જોડાવ અને બીજા દસ ભાઈઓ અને બહેનોને જોડો.
આ મેસેજ શક્ય તેટલા વધુ વ્યકિતઓ તેમજ ગ્રુપમાં મોકલી સહકાર આપો અને પૂન્ય કમાઓ..
ભગવાનભાઈ બંધુ ડીસાના બાપા સીતારામ જય જલારામ
