Gujarat

દાહોદના નાની ઝરીમાં પૂરઝડપે બાઈક ચલાવતા સ્લીપ થતાં ચાલકનું મોત

દાહોદ
દેશ અને ગુજરાતમાં રોજબરોજ ક્યાંક ને ક્યાંક અકસ્માત થતા રહે છે અને તેના કરાણે અકસ્માતમાં મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે ત્યારે લોકો બેફામ ડ્રાઈવીંગ કરી પોતાનો અને અન્યના જીવને જાેખમમાં મુકે છે ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના નાનીઝરી ગામે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતાં અચાનક મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઇ હતી. જેમાં મોટરસાઈકલના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. કરણભાઈ વાલસીંગભાઈ ભગોરા (રહે. સંતરામપુર રોડ, મોરવા (હ), જિ.પંચમહાલ) પોતાની મોટરસાઈકલ લઈ દેવગઢ બારીઆ તાલુકાના નાનીઝરી ગામેથી પસાર થઈ રહ્યા હતા. મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં કરણભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતા. જેને પગલે તેમને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે સંતરામપુર રોડ, મોરવા (હ), જિ. પંચમહાલ ખાતે રહેતાં વાલસીંગભાઈ ભોદુભાઈ ભગોરાએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *