Gujarat

ભીમપુરા પાસે વાહનચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત નીપજ્યું

મહેસાણા
સતલાસણા તાલુકામાં આવેલા ભીમપુરા રિછડા માર્ગ પર એક વૃદ્ધ ચાલીને જતા હતા એ દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને અડફેટે લીધા હતા. જેથી તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તપાસ દરમિયાન મૃતક ઠાકોર રત્નાજી રેવાજી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ લાશને સતલાસણા સરકારી સિવિલ ખાતે પી.એમ અર્થે મોકલવામાં આવી હતી. તેમજ અકસ્માત સર્જી ફરાર થનાર અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *