મહાસંમેલન ની નવી તારીખ હવે પછી જાહેર કરવા મા આવશે
ગિરગઢડા
ભરત ગંગદેવ.
મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમસ્ત લોહાણા સમાજ ની કાર તથા બાઈક રેલી ઉપરાંત સમસ્ત લોહાણા સમાજ ના મહાસંમેલન આગામી તા.૩-૭-૨૦૨૨ રવિવાર ના રોજ યોજવાનુ આયોજન કરવા મા આવ્યુ હતુ. પરંતુ તા.૨૬-૬-૨૦૨૨ રવિવાર ના રોજ મોરબી લોહાણા સમાજ ના અગ્રણી ઉદ્યોગપતિ જગદીશભાઈ ડાયાલાલ કોટક નુ આકસ્મિક દુઃખદ અવસાન થતા તા.૩-૭ ના રોજ મોરબી મુકામે યોજાનાર તમામ કાર્યક્રમો મોકુફ રાખવા મા આવ્યા છે. આગામી સમય મા મોરબી મુકામે રઘુવંશી મહાસંમેલન ની નવી તારીખ જાહેર કરવા મા આવશે.
