Gujarat

રાણપુર તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા આવતા મહીને રાણપુર કોર્ટ ખાતે ૧૨ માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ બોટાદના આદેશાનુસાર રાણપુર તાલુકા કાનુની સેવા સમિતી દ્વારા પ્રિન્સીપાલ સિવિલ જજ અને જ્યુડી.મેજી.ફ.ક.કોર્ટ રાણપુર ખાતે તારીખ-૧૨-૩-૨૦૨૨ ના રોજ રાષ્ટ્રીય લોક-અદાલત યોજાશે.આ લોક અદાલતમાં સમાધાનપાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે.આ લોક અદાલતમાં પી.જી.વી.સી.એલ.,નેગોશીયેબલ(ચેક રીર્ટન),બેન્ક ને લગતા કેસો,લગ્ન વિષયક કેસો,રેવન્યુ કેસ વગેરે સમાધાન માટે રાખવામાં આવનાર છે.પક્ષકારોએ નેશનલ લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરી શકે તે માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો જે તે અદાલતનો અથવા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ,જીલ્લા ન્યાયાલય બોટાદનો તથા રાણપુર તાલુકા કાનુની સેવા સમિતિ નો સંપર્ક કરવાનો રહેશે..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *