સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
લોકસેવક અને ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તા અને હજારો ગરીબ લોકોના આંસુ લુંછનાર, સેવાભાવી યુવાન અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા ૯૭ સાવરકુંડલા લીલીયા વિધાનસભા મત વિસ્તારના દમદાર દાવેદાર મનાતા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા પ્રદેશ ભાજપ મંત્રી શ્રી મહેશભાઇ કસવાળાનું નામ જાહેર થતાં સુરેશ પાનસુરીયાએ ખેલદિલીપૂર્વક આવકારી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આમ ભારતીય જનતા પાર્ટીના સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ઉમેદવાર મહેશભાઈ કસવાળાની પસંદગીને મીઠો આવકાર આપ્યો
