સમગ્ર જગત ને કોવીડ નામના માનવ શત્રુએ ભરડા માં લઇ માનવજાત ને નુકશાન પહોંચાડી લાખો કરોડો લોકો ને મૃત્યુની ગાઢ નિંદ્રામાં સુવડાવી દીધા.સમગ્ર જગત માં હાહાકાર મચી જવા પામ્યું હતું.ગુજરાત માં પણ આવી પરિસ્થિતિ સર્જાઈ હતી.લોકો ટપો ટપ મરતા હતા ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ગામડાઓમાં પણ આવીજ હાલત હતી .આવી સમસ્યાઓ બાદ ગુજરાત સરકાર તરફથી કોવિદ માં મૃત્યુ પામેલા ના સ્નેહીજનો ને ૫૦.૦૦૦ હજાર ની સહાય ચુકવવામાં આવી રહી છે.ત્યારે ગુજરાત વિધાન સભાના વિરોધ પક્ષના નેતા સુખરામ ભાઈ એ મૃત્યુ પામેલા ઓના કુટુંબીજનોને ચાર લાખ ની સહાય ચુકવવામાં આવે એવી માંગણી સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


