Gujarat

વેરાવળ મોટી હવેલી માં ભવ્ય અન્નકુટ મનોરથ

અહેવાલ : સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
વેરાવળ તાલાલા રોડ ઉપર આવેલ મોટી હવેલી માં ભવ્ય અન્નકુટ મનોરથ નો કાર્યક્રમ રાખવામા આવેલ છે તેમાં વેરાવળ સહીત સમગ્ર ગીર સોમનાથ ના વૈષ્ણવોને લાભ લેવા એક યાદીમાં જણાવેલ છે.
વેરાવળ નૃસીહબાગ મોટી હવેલી તાલાલા રોડ ઉપર તા.૧૮/૧૧/૨૦૨૨ શુકૂવારે ભવ્ય અન્નકુટ મનોરથ નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
મોટી હવેલી બીરાજતા ૧૦૮ માધવરાયજી મહારાજ આપશ્રી ની આજ્ઞાથી આખો દિવસ કાર્યક્રમ નું આયોજન થયેલ છે તેમાં બપોરે ૧ કલાકે ૧ ગોર્ધનપુજા દર્શન,સાંજે ૫ કલાકે અન્નકુટ ના દર્શન થશે જેની તડમારતૈયારી ઓ થઈ રહી છે વેરાવળ તાલાલા,સુત્રાપાડા,કોડીનાર,ઉના,ગીરગઢડા સહીત જીલ્લાભર ના તમામ વૈષ્ણવોને આ દર્શન નો લાભ લેવા એક યાદીમાં જણાવેલ હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *