*અંબાજી મંદિર સંચાલિત તમામ સંસ્થાઓમાં કામ કરતા ૭૦૦ જેવા કર્મચારીઓ ને આપી ભેટ*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે અમદાવાદનું તેજસ કિરીતકુમાર ધોળકિયા પરિવાર વર્ષોથી મા અંબાના દર્શને આવે છે અને માઁ અંબા જગડબમાં અટૂસ શ્રદ્ધા ધરાવે છે અમદાવાદ થી નવા વર્ષમાં અંબાજી મંદિરે દર્શન કરવા આવેલા તેજસ કિરીતકુમાર ધોળકિયા અને તેમના ધર્મ પત્ની અંબાજી મંદિર સંચાલિત તમામ સંસ્થાઓમાં કામ કરતા ૭૦૦ જેવા કર્મચારીઓ માટે નવાવર્ષ નિમિત્તે માતાજી ના પ્રસાદ સ્વરૂપે ભેટ અમદાવાદ થી લાવ્યા હતા અને અંબાજી મંદિર ખાતે વિતરણ કરવામાં આવી હતી તેજસ કિરીતકુમાર ધોળકિયા પરિવાર તેમના જન્મદિવસ તથા અન્ય પ્રસંગો ઉપર અવાર-નવાર અંબાજીમાં સફાઈ કર્મચારીઓ તથા અન્ય કર્મચારીઓને ગિફ્ટ આપતા હોય છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


