‘‘સાયબર જાગૃતી કાર્યક્રમ’’
આજરોજ તા.૨૧/૦૯/૨૦૨૨ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ભાવનગર રેન્જ દ્રારા શ્રીમતિ એલ.ડી. ગુદરાસીયા આહિર કન્યા વિદ્યાલય અને શ્રી મતિ પી.એન.ગુદરાસીયા આહિર કન્યા છાત્રાલય,ભાવનગર ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના (૧) પો.વા.ઇન્સ વાય.એસ.આયરાવ (૨)પો.વા.સબ.ઇન્સ ડી.એચ.જાડેજા તેમજ સંસ્થાના આચાર્ય ડો.શ્રી પ્રજ્ઞનાબેન પંડયા સાહેબ તથા વાઇસ આચાર્ય શ્રી પાઠક સાહેબનાઓની ઉપસ્થીતીમાં આશરે ૭૫૦ જેટલા વિદ્યાર્થીની ઓને (૧) સાયબર ક્રાઇમ શું છે ? (૨) સાયબર ક્રાઇમના પ્રકાર કેટલા ? (૩) સાયબર ક્રાઇમથી બચવા માટે શુ કરવુ ? (૪) સાયબર સિક્યોરીટી (૫)સાયબર સેફટી (૬) ચાઇલ્ડ પોર્નોગ્રાફિ વિગેરે વિશે તેમજ સાયબર ક્રાઇમનો બનાવ બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર-૧૯૩૦ પર ફોન કરી ફરીયાદ લખાવી તથા ફરીયાદ લખાવતા સમયે શુ શુ દસ્તાવેજો હાજર રાખવા તે મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરી સાયબર ક્રાઇમના બનાવો અંગે માહિતગાર કરી સાયબર ક્રાઇમથી જાગૃત કરવા માહિતી આપવામાં આવેલ.


