સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં બે સ્મશાનગૃહ આવેલા છે અને તોકતે વાવાઝોડા બાદ બંને સ્મશાનગૃહની હાલત ખરાબ થઈ ગઈ છે ત્યારે સાવરકુંડલા ભાજપની નગરપાલિકા દ્વારા બંને સ્મશાનગૃહોનો જીર્ણોદ્ધાર અને મરામત કામકાજ માટે ભંડોળ અને સરકારની ગ્રાન્ટમાંથી રૂ. ૫૦ લાખ રૂપિયા બંને સ્મશાનગૃહ વાપરવામાં આવશે નગરપાલિકાના પ્રમુખ તૃપ્તિબેન દોશી અને ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી તેમજ સમગ્ર નગર પાલિકાની ટીમે આ ઠરાવ સર્વાનુમતે મંજૂર કરી સાવરકુંડલા શહેરના બંને સ્મશાનગૃહોને સુંદર અને સ્વચ્છ બનાવવાના પ્રયાસને સાવરકુંડલાના નગરજનોએ આવકારીને અભિનંદન પાઠવ્યા છે.


