સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આવેલ આસ્થાના ધામ સમા પ. પૂ. સંતશ્રી જલારામ બાપાનાં મંદિરેથી સાવરકુંડલા જલારામ ભક્તો વિરપુર પદયાત્રામાં પૂ. જલારામ બાપાનાં દર્શને પ્રસ્થાન કરતાં આ પ્રસંગે તમામ જલારામ ભક્તોનું સાવરકુંડલા શહેરના રઘુવંશી અગ્રણીઓ હિતેશ સરૈયા અને રાજુભાઈ શીંગાળાએ ફૂલહાર પહેરાવી મીઠાં મોં કરાવીને ખૂબ આદરપૂર્વક સંન્માનિત કરી પ્રસ્થાન કરાવ્યું હતું . પૂ. જલારામ ભક્તો છેલ્લા ઘણાં વર્ષોથી આ પરંપરા જાળવી રહ્યાં છે અને વિરપુર સુધી પદયાત્રા કરીને બાપાના ચરણોમાં વંદન કરતાં જોવા મળે છે. આ તમામ પદયાત્રાઓને તેઓની આ ધર્મભાવના બદલ તેમના આ સત્કાર્યની સમગ્ર રઘુવંશી સમાજમાં ભારે પ્રશંસા થઈ રહી છે. આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવા માટે પણ ધર્મ પ્રત્યે ઊંડી લાગણી, આસ્થા અને આદરભાવ ખૂબ આવશ્યક છે.


