સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા દિવાળીના માહોલ વચ્ચે ફટાકડા અને રંગોળી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં વિવિધ રંગો અને પ્રકાશનુ પર્વ હોય એટલે માટીના દીવડાં વેચાણર્થે માર્કેટમાં ઠેર ઠેર જોવા મળે છે. જો કે આ સંદર્ભે ફટાકડા અને રંગોળી માટેના રંગોની ઘરાકી હજુ જોઈએ તેટલી નથી નીકળી. કદાચ આજે સાંજથી વેચાણમાં તેજી આવે એવું પૂર્વાનુમાન છે. આમ ગણીએ દિવાળીની ઓરિજિનલ ઘરાકી હવે નીકળે તેવું વેપારી વર્ગ પણ ઈચ્છે છે.

