હાલ ગોપાલક સમાજ દ્વારા અલગ અલગ ૧૦ થી વધુ માંગણીઓ સરકાર સમક્ષ મુકવામાં આવી છે જેમ કે ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો ૨૦૨૨ સંપૂર્ણ નાબુદ કરવમાં આવે, (2) માલધારી-ગોપાલક મંડળીઓને મતનો અધિકાર જે રદ કરેલ છે તે પુનઃસ્થાપિત કરવામાં આવે જેવી વિવિધ માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવે જેને લઈને અમરેલીમાં સોમનાથ મંદિર ખાતે બહોળી સંખ્યામાં ગોપાલક સમાજ હાજર રહ્યો હતો ત્યાર બાદ ગોપાલક સમાજના આગેવાનો દ્વારા બહોળી સંખ્યામાં રેલી કાઢીને કલેકટર કચેરી સુધી પહોચ્યા હતા અને ગોપાલક સમાજના અગ્રણીઓ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું ગોપાલક સમાજની માંગણીઓ સરકાર દ્વારા વહેલામાં વહેલી સ્વીકારવામાં આવે તેવી આપીલ સાથે જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


