અમરેલીની શાંતાબાં મેડીકલ કોલેજ ખાતે ૨૦ થી વધારે લોકોને આંખના મોતીયાના ઓપરેશન કરાવવા ગયેલ લોકોને જયારે આંખની પટીયો ખોલતા આંખમાં અંધાપો આવી ગયેલ લોકોની આંખો સાથે રમત રમી આંધળા બનાવી દેતા ગરીબ લોકોની દ્રષ્ટી છીનવી લેતા તમામ જવાબદાર વ્યકતીઓ સામે કડકમાં કડક સજા થાય અને આંખ ગુમાવેલ તમામ લોકોને વળતર પેટે આર્થીક સહાય આપવામા આવે તેમજ ગરીબ લોકોની દૃષ્ટી ગુમાવેલ છે.તેમજ ગરીબ લોકોને પ્રાઈવેટ દવાખાનામાં ફી પોસાઈ તેમ ના હોય અને ગરીબ લોકો સરકારી દવાખાનનો લાભ જતા હોય અને આવી સરકારી દવાખાના ભાડા પેટે આપી દેવાના કારણે લોકોને આંખ ગુમાવવાનો વારો આવેલ છે જેથી આપ સાહેબશ્રી આ બાબતે તાકીદ યોગ્ય જવાબદારો સામે પગલા લેવા તેમજ ગરીબ લોકોને ન્યાય અપાવવા આપ સાહેબશ્રીને આ આવેદન પત્ર પાઠવવામા આવેલ છે.
અંધાપો આવી ગયેલ દર્દીઓને યોગ્ય વળતર મળે તે માટે આપ્યું હતું આવેદનપત્ર…
આ અંધાપાકાંડને કાવતરું રચનાર તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અધિક કલેકટરને માંગ કરવામાં આવી હતી….
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


