સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આંતરરાષ્ટ્રીય ભાગવતાચાર્ય રવિદાદા જોષી જુનાગઢવાળાની માનવમંદિરના સંતશ્રી ભક્તિબાપુ સાથે મીલાપ અને હરિના બાળકોની મુલાકાત લીધી હતી
પ્રાપ્ત વિગત મુજબ બોઘરયાણી ચાલી રહેલ રામકથાના વક્તાશ્રી શાસ્ત્રી રવિન્દ્રભાઈ જોષી કે જેઓ સાંદિપ્ની સંસ્કૃત પાઠશાળામાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના માર્ગદર્શન નીચે તૈયાર થઈને દેશ વિદેશમાં સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. ગઈકાલે તેઓ માનવમંદિર ખાતે પધારી ભક્તિબાપુ સાથે મુલાકાત કરી બાપુની સેવાને વંદન સાથે અભિનંદન આપેલ.આ તકે અનકભાઈ વાળા જીપીટીએલ લાઈવ ન્યુઝ,બળવંતભાઈ મહેતા,ગુણુભાઈ ત્રિવેદી,પ્રફુલભાઈ યાદવ,રહિમભાઈ, લાલજીભાઈ ગોંડલીયા, ઈલાબેન કુબાવત હાજર હતા.


