ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં હાજરી આપશે
જામનગર તા.૦૬ મે, આવતીકાલ તા.૦૭/૦૫/૨૦૨૨ શનિવારના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગર જિલ્લાનાં પ્રવાસે પધારનાર છે. જેમાં તેઓ બપોરે ૧૨:૦૦ કલાકે જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં હાજરી આપશે.જ્યા તેઓ અડધી કલાકનું રોકણ કરીને પૂજ્ય રમેશભાઇ ઓઝા પાસેથી આશીર્વચન મેળવશે.
