આવતી કાલ તા.૨૫ ફેબ્રુઆરી શુક્રવાર તથા તા.૨૭ ફેબ્રુઆરી રવિવારના રોજ રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાનો પ્રવાસ કરશે. જેમાં તા.૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે મંત્રીશ્રીના હસ્તે શહેરી આરોગ્ય કેન્દ્વ સિક્કા ખાતે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવશે. ત્યાર બાદ ૧૩:૦૦ થી ૧૫:૦૦ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજાશે.જેમાં મંત્રીશ્રી લોકોનીમુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે.તા.૨૭રવિવારના રોજ મંત્રીશ્રી ૦૯:૦૦ કલાકે ધુવાવ ખાતે હાઇસ્કુલ બિલ્ડીંગનાલોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેશે ત્યારબાદ ધુળશીયા ખાતે મન કી બાત કાર્યક્રમમાં જોડાશે.
દિવ્યા ત્રિવેદી
