Gujarat

ઉનાના મોદેશ્વર મહાદેવના સાનિધ્યમાં એકાદશમ મહારુદ્ર યજ્ઞ યોજાય ગયો.

ઉનાના શહેર ના પૌરાણિક મંદિર મોદેશ્વર મહાદેવના મંદિરે ઋષિતોયાના પટરાંગણ યોજાયો એકાદશી મહારૂદ્ર યજ્ઞ આ યજ્ઞ તા
૬/૭/૮ એમ ત્રણ દિવસનો મહારૂદ્ર યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ ના મુખ્ય યજમાન કાન્તીભાઈ ભગવાનભાઈ
ડાભી બિરાજમાન થયા હતા. સાથે ૫૩ જોડી આ મહારૂદ્ર યજ્ઞમાં જોડાયા હતા. જેમાં શિવ ભગીરથ મંડળ દ્વારા સતત ત્રિદિવસય
સેવાયજ્ઞ કાર્ય કરવામાં આવ્યું હતું.  આ આયોજન દરમિયાન શિવજીની શોભાયાત્રા સાથે નિકળી હતી. યજ્ઞના છેલ્લા દિવસે ઉના
શહેર, તાલુકાના લોકો,ભક્તજનો માટે મછુન્દ્રીના તટમાં મહાપ્રસાદનો લાભ લીધો હતો. જેમાં હજારોની સંખ્યામાં ભાવિકોનું
માનવમે્હરામણ જોવા મળ્યું હતું. જેમાં યુવા કોળી સંગઠન ઉનાના યુવાનો દ્વારા સેવાકીય જેહમત ઉઠાવી હતી. આમ ત્રિદિવસીય
મહારુદ્ર યજ્ઞમાં મોદેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઋષિતોયા પટરાંગણમાં શિવ ત્યાં જીવના દર્શન નજરે દેખાયા હતા. ઉપરાંત આ
ભગીરથ શિવ મંડળ દ્વારા પિતૃકાર્ય માટે પધારવામાં આવતી સુખધામની અસ્થિઓ  નિઃશુલ્ક સેવા અર્થે હરિદ્વાર ગંગાજીમાં
પધરામણી પણ આ મંડળ દ્વારા સેવા કાર્ય કરવામાં આવે છે.

-મહાદેવના-સાનિધ્યમાં-એકાદશમ-મહારુદ્ર-યજ્ઞ-યોજાયો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *