ઉના દેલવાડા રોડ પર કાર ચાલકે સ્ટેરીંગનો કાબુ ગુમાવતા રસ્તાની સાઈડમાં પલ્ટી મારી કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
ઉનાથી યુવાન રાત્રિના સમયે પોતાની કાર લઈને દેલવાડા તરફ જતો હતો. ત્યારે નાગનાથ મંદિર નજીક રસ્તા પર અચાનક કાર ચાલકે સ્ટેરીંગનો કાબુ ગુમાવતા રસ્તાની સાઈડમાં પલ્ટી મારી ગયેલ હતી. આ અક્સ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે આ અકસ્માતમાં કારમાં નુકસાન થયું હતું.
ઉનાથી દેલવાડા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તાની સાઈડમાં પલ્ટી મારી રસ્તાની સાઈડમાં બાવળના ઝાડમાં ઘુસી ગઈ હતી. આ અસ્માત સર્જાતાની સાથે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોએ કારચાલક યુવકને બહાર કાઢ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં કારચાલક યુવાનને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ કારમાં મોટું નુકશાન થયુ હોવાનું જાણવા મળી રહ્યું છે.