જામનગર તા.૨૬ માર્ચ, આગામી તા.૨૮-૦૩-૨૦૨૨ થી તા.૧૨-૦૪-૨૦૨૨ સુધી એસ.એસ.સી અને એચ.એસ.સીની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા શાંતિથી લેવાય તથા પરીક્ષા દરમિયાન ચોરીના દૂષણને અટકાવવાના હેતુથી પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતાં ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા(સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોને તા.૨૮-૦૩-૨૦૨૨ થી તા.૧૨-૦૪-૨૦૨૨ સુધી (તા.૨, ૩, ૧૦-૦૪-૨૦૨૨ની રજાઓ સિવાય) સવારના ૧૦:૦૦ થી ૧૮:૧૫ કલાક સુધી જામનગરશહેરના ૩૬, ધ્રોલના ૭, કાલાવડના ૫, જોડિયાના ૨, લાલપુરના ૫, સિક્કાના ૩, જામજોધપુરના ૫ જેટલા પરીક્ષા કેન્દ્રોની આસપાસ તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઇએ મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર જામનગર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી મિતેશ પંડ્યા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ તેમને મળેલ સતાની રૂઇએ પ્રતિબંધ ફરમાવેલ છે.
આ હુકમનો ભંગ કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦(૪૫ અધિનિયમ)ની કલમ-૧૮૮ અન્વયે શિક્ષાપાત્ર થશે.
