Gujarat

કચ્છ જિલ્લામાં ૧ મહિનામાં મંદિરને અપવિત્રત કરવા, તોડફોડ કરવાની ત્રીજી ઘટના બની

કચ્છ
કચ્છના રાપર જિલ્લાના ભુતકિયા ગામમાં શિવ મંદિરની અપવિત્ર કરવામાં આવી હતી, જે ૪ જૂન બાદ જિલ્લામાં આવી ત્રીજી ઘટના છે. પોલીસે ઘટનાના કલાકોમાં જ આરોપી નરસિંહ કોળીની ધરપકડ કરી હતી. પૂજારી ઈશ્વરપુરી ગોસ્વામી અને તેમનો પુત્ર મંદિરમાં ગયા ત્યારે તેમણે બહાર પડેલું શિવલિંગ અને તાંબામાંથી બનેલું ‘શેષ નાગ’ ક્ષતિગ્રસ્ત જાેયું હતું. તેઓએ તાત્કાલિક ગ્રામજનોને જાણ કરતા આડેસર પોલીસને બોલાવી હતી. આડેસર પોલીસ સ્ટેશનના નિરીક્ષક જી. જી. જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસની ટીમે સ્થાનિકો સાથે પૂછપરછ શરૂ કરી હતી અને માહિતી મળી હતી કે, નરસિંહ કોળી મંદિરની આસપાસ શંકાસ્પદ રીતે ફરતો હતો. તેઓએ નરસિંહ કોળીને રાપરના પાટડિયા વાંધ વિસ્તારમાંથી પકડી લીધો હતો અને તેણે તોડફોડની કબૂલાત કરી હતી. અમે તેને અપવિત્ર કરવાના હેતુ વિશે પૂછપરછ કરી રહ્યા છીએ. આ અગાઉ ૫ જૂનના રોજ ભચાઉ તાલુકાના ચંદ્રોડી ગામમાં શિવ મંદિર અને મોમાઈ માતાના મંદિરમાં મૂર્તિઓની અપવિત્ર કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *