લોકેશન.ખેડા-કઠલાલ
રીપોર્ટર.મકસુદ કારીગર
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના સુપ્રસિદ્ધ પિઠેશ્વરી મંદિર પીઠાઈ ખાતે મેળાનુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
પીઠાઈ ખાતે દર વર્ષે ભાદરવા સુદ આઠમ અને નોમ નો ભવ્ય મેળો યોજાય છે. અને સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યો ના ભક્તો પણ મોટી સંખ્યા મા પધારી દર્શન અને મેળા નો આનંદ ઉઠાવે છે. આ વર્ષે પણ તારીખ 4.9.2022 અને 5.9.2022 ના રોજ પીઠાઈ પિઠેશ્વરી માતા ના મંદિરે સમસ્ત પીઠાઈ ગામ તથા પીઠેશ્વરી મંદિર પરિવાર તરફથી ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે આવશે.


