કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામ માં બીરાજમાન માં આલબાઈ ના પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવ ના આજે પહેલા જ દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યા હતા જેમાં અતુટ શ્રદ્ધા લઈ આજે માઇભક્તો માતાજી ના આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હજારો લાખો ની સંખ્યા માં લોકો માતાજી ના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા તેમ આલબાઈ માતાજી ના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર વિધી હવન વિધી કરવામાં આવી હતી જેમાં લાખો શ્રદ્ધાળુઓ એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમ ભોજન પ્રસાદી લઈ અને મેળા ની જેમ આજે લોકો આનંદ માણી રહ્યા હતા તેમજ આ અસહનીય ગરમી માં લોકો ઠંડા પાણી ઠંડી છાસ લીબું સરબત ની મજા માણતા જોવા મળ્યા હતા
તેમજ આ મહોત્સવ હજુ બે દિવસ સુધી સતત ઉજવાશે જેમાં દરેક ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે
અહેવાલ વજસી વરવારીયા મોટા આસોટા


