મોરબી ગોઝારી દુર્ઘટનાનાં દિવંગોતનાં મોતનો મલાજો જાળવશે કેશોદ સમસ્ત મુસ્લિમ સમાજ
કેશોદ સમસ્ત મુસ્લીમ સમાજના પ્રમુખ ઈસાભાઈ ઠેબા,,તથા સમાજના આગેવાનો મુસાભાઈ મહીડા,, અલીભાઈ સાંધ,, હનીફભાઈ સોઢા,, કારાભાઈ હાલેપૌત્રા,, નવાઝભાઈ ચૌહાણ,,સેબાજભાઈ મહીડા,, સોહિલભાઈ મહીડા,, અબાભાઈ ટાયર વાળા,, કાસમભાઈ શેખ,,હાસમભાઈ જુણેજા,, સતારભાઈ કારવાં,, હનીફભાઈ મહીડા ન. પા. સદસ્ય ,, અમીનભાઈ મહીડા ન. પા. સદસ્ય,, હાજી ઈસ્માલભાઈ અમરેલીયા,,
તમામ આગેવાનો દ્વારા નિર્ણય લેવામાં આવેલ હતો દર વર્ષે કેશોદ સમસ્ત મુસ્લીમ સમાજ દ્વારા કેશોદની મુખ્ય બજારમાં હઝરત પીરાને પીર રોશન ઝમીર ગોષે આઝમ દસ્તગીર રદીઅલ્લાહો તાઆલા અન્હોની શાનમાં કેશોદની મુખ્ય બજારોમાં ઝુલુસ નિકળેછે અને આમ ન્યાઝ (પ્રસાદી) નો પ્રોગ્રામ રાખવામાં આવે છે પણ આ વષૅ મોરબીમાં બનેલ ગોઝારી દુર્ઘટના બનાવ ને લઇને બંધ રાખેલ છે અને મોરબીના ઝુલતા પુલની દુઃખદ ઘટનામાં સવૅ સમાજના લોકોનાં નિઘન થયાં છે તે મરહુૅમોને દુઆ ખૈર અને હિન્દુ સમાજનાં લોકોના નિઘન થયાંછે તેમનાં મોક્ષથૅ બે મીનિટ મૌન પાળી તેમને શ્રઘ્ઘા સુમન અપૅણ કરવામાં આવશે તેવુ સમસ્ત મુસ્લીમ સમાજ કેશોદની યાદીમાં જણાવાયુંછે
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ