ગિરગઢડા
ભરત ગંગદેવ
ગીર સોમનાથ જિલ્લાની વહીવટી ગતિવિધિઓના કેન્દ્ર, ઈણાજ ખાતે જિલ્લા પંયાયતના સભાગૃહમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ અધિકારી-કર્મચારીઓને પ્રિકોશન ડોઝ માટે ખાસ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલે પણ પ્રિકોશન ડોઝ લઈ આ સાથે અન્ય અધિકારી-કર્મચારીઓને પ્રિકોશન ડોઝ લેવા માટે પ્રરિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોરોના પ્રતિરોધી વેક્સીનનો બીજો ડોઝ જે અધિકારી-કર્મચારીઓને લેવાનો બાકી હતો, તેમને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.


