અમદાવાદ
ગુજરાતમાં રાષ્ટ્રીય રમતનું આયોજન ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર સુધી તેનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત દ્વારા રાષ્ટ્રીય રમત ગુજરાતમાં યોજાઇ તે માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેનો સ્વિકારી ૈર્ંંછ દ્વારા કરી લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે જણાવ્યુ હતુ કે, ગુજરાત વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ બન્યું છે અને રાજ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે એક નવો જ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે, ત્યારે આ વખતની નેશનલ ગેમ્સને અત્યાર સુધીની શ્રેષ્ઠ બનાવવામાં ગુજરાત કોઈ કસર છોડશે નહીં. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે આગામી ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ૩૬મો રાષ્ટ્રીય રમતોત્સવ યોજાશે. રાજ્યના ૬ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગરમાં આ ૩૬મા રાષ્ટ્રીય રમતોત્સવની વિવિધ ૩૪ જેટલી રમતોનું આયોજન થશે.ગુજરાતમાં રાષ્ટ્રીય રમતનુ આયોજન કરવામા આવશે. આ અઁગેની માહિતી મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાને ટ્વીટરના માધ્યથી આપી હતી. ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટુ આતિ આધુનિક નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિય બનવામાં આવ્યા બાદ તેની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલનું નિર્માણ થઇ રહ્યુ છે. આમ ગુજરાતમાં આવનારા સમયમાં વિશ્વ કક્ષાના વિવિધ ઇન ડોર અને આઉટ ડોર સ્ટેડિયમનું ર્નિણઆમ થઇ રહ્યુ છે. ગુજરાતમાં ઉભા થઇ રહેલા રમત ગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઇને આ પ્રકારની રાષ્ટ્રીય રમતનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યુ છે. તેમજ આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય રમત ગમતનું પ્રતિનિધિત્વ પણ ગુજરાત કરતુ જાેવા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્રો મોદીના હાથે ગ્રાન્ડ ફિનાલેમાં ઇનામ વિતરણ કરવામાં આવશેપ્રધાનમંત્રી નરેન્દ્રો મોદીના હાથે ગ્રાન્ડ ફિનાલેમાં ઇનામ વિતરણ કરવામાં આવશે રાષ્ટ્રીય રમતોત્સવમાં હિસ્સેદારી એ દરેક રમતવીરનું એક સ્વપ્ન હોય છે. કેમ કે, આવા રમતોત્સવો તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા, અગાઉના કિર્તિમાન-રેકોર્ડ બ્રેક કરવા અને નવા સિદ્ધિ સિમાચિન્હો કિર્તિમાન સર કરવાનું સક્ષમ મંચ પ્રદાન કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ખેલ-કૂદ, યુવા બાબતો તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાતે આ ૩૬મા રાષ્ટ્રીય રમતોત્સવની જવલંત સફળતા માટેની તૈયારીઓ-આયોજન સક્ષમતાપૂર્વક શરૂ કરી દીધા છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ પ્રકારનો રાષ્ટ્રીય રમતોત્સવ છેલ્લે ૨૦૧૫માં કેરળમાં યોજાયો હતો. કોરોના રોગચાળા સહિત વિવિધ કારણોસર આ રમતો અત્યાર સુધી મુલતવી રાખવામાં આવેલી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાત વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાઇ રહેલા ૩૬મા રાષ્ટ્રીય રમતોત્સવના યજમાન રાજ્ય બનવા ઇન્ડીયન ઓલિમ્પિક એસોસિયેશનને કરેલી દરખાસ્તનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો છે. આના પરિણામ સ્વરૂપે ૩૬મા રાષ્ટ્રીય રમતોત્સવનું ગુજરાતમાં આયોજન થવાનું છે. આ રમતોત્સવમાં એથ્લેટિકસ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, જૂડો, ખો-ખો, કુશ્તી, કબડ્ડી અને મલખમ તથા યોગાસન જેવી ઇન્ડોર અને આઉટડોર રમતો સહિત ૩૪ જેટલી રમતોમાં દેશભરના સાત હજારથી વધુ ખેલાડીઓ પોતાનું કૌવત ઝળકાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. ગુજરાતમાં ઓલિમ્પીકને આનુષાંગિક આવી રમતોના આયોજનથી વર્તમાન માળખાકીય સવલતો વધારવા સાથે તેનો શ્રેષ્ઠ ઉપયોગ પણ થશે. રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ આ ૩૬મી નેશનલ ગેઇમ્સના આયોજન અને સફળતામાં ગુજરાત કોઇ જ કસર છોડશે નહીં તેવો વિશ્વાસ દર્શાવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત હવે સ્પોર્ટસ હબ બનવા ભણી આગળ વધી રહ્યું છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખેલમહાકુંભની ૨૦૧૦થી શરૂઆત કરાવી તેની જવલંત સફળતાથી આજે ગુજરાતમાં સ્પોર્ટસ કલ્ચર અને એક આખી ઇકોસિસ્ટમ ઊભી થઇ છે. તેમના નેતૃત્વમાં ગુજરાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ધોરણો મુજબની માળખાકીય સુવિધાઓ વિકસાવી છે. ખેલમહાકુંભની તાજેતરની ૧૧મી કડીમાં પંચાવન લાખ રમતપ્રેમીઓ સહભાગી થયા અને ‘ખેલે તે ખિલે’નો મંત્ર સાકાર કર્યો છે તેમ પણ સંઘવીએ ઉમેર્યુ હતું. મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતના ખેલમહાકુંભની સફળતાને પગલે સરિતા ગાયકવાડ, માના પટેલ, હરમીત દેસાઇ, મુરલી ગાવિંત જેવા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આપણને મળ્યા છે. એટલું જ નહીં, પેરા ઓલિમ્પિકસમાં પણ ગુજરાતની દિકરીઓએ રાષ્ટ્ર-રાજ્યનું નામ રોશન કર્યુ છે. ખેલાડીઓ-રમતવીરોને પદ્ધતિસરની તાલીમ, પ્રોત્સાહનની સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વિકસાવી છે. એટલું જ નહીં, સ્પોર્ટસ પોલિસી જાહેર કરીને સ્પોર્ટસ ક્ષેત્રે રોકાણો પ્રેરિત કરી ગુજરાતમાં વર્લ્ડકલાસ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.