ગિરગઢડા
ભરત ગંગદેવ.
ડીસા નટ સમાજના મુખિયા,જાણીતા અગ્રણી તેમજ ગુજરાત વિચરતી વિમુકત જાતિ વિકાસ નિગમના પૂર્વ ડિરેક્ટર કિસનભાઈ નટનું આકસ્મિક નિધન થતાં સમગ્ર ગુજરાતના નટ સમાજ ઉપરાંત ડીસાની વિવિધ સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓએ ઉંડા આઘાતની લાગણી અનુભવી હતી.
સદગત કિસનભાઈ નટને શ્રધ્ધાંજલી,પુષ્પાંજલિ,શબ્દાંજલી અર્પણ કરવા ડીસાના સેવાભાવી અગ્રણીઓએ તેમના નિવાસસ્થાને પહોંચી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ દુખદ ઘડીએ ડીસાની વિવિધ સેવાકીય સંસ્થાઓના સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ,નાથાલાલ ખત્રી,ચંદુભાઈ એટીડી,ઈશ્ર્વરભાઈ રાવળ,આનંદભાઈ પી.ઠકકર સહિત વિવિધ અગ્રણીઓએ ખાસ હાજર રહી કિસનભાઈ નટને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
સદગત કિસનભાઈ નટના સુપુત્રો મેરૂભાઈ નટ તેમજ ભરતભાઈ નટે સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.


