નવસારી
ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના જંગલ બોડા થતા દીપડાઓ માટે વસવાટનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જેને લઈને તેને નવસારી જિલ્લામાં શેરડીના ખેતરમાં હૂંફ, પાણી અને પ્રજનન કરવાના સુરક્ષિત વાતાવરણ સાથે ખોરાક પણ સહેલાઇથી મળતો હોવાથી આ જિલ્લો તેના માટે માફક આવ્યો છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના નોગામા ગામે મરઘા ફાર્મ આવ્યું છે, જેમાં ખુંખાર દીપડાએ ફાર્મ લોખંડની જાળી તોડીને પ્રવેશ મેળવ્યા બાદ આશરે ૩૦૦ જેટલા મરઘાં મારણ કર્યું હતું. ફાર્મના સંચાલકે ઘટના જાેઈને વનવિભાગને જાણ કરી હતી જે બાદ પાંજરૂ મૂકવામાં આવ્યું હતું જેમાં ફરિવાર શિકાર કરવા આવેલો દીપડો પાંજરામાં કેદ થતા સંચાલક અને ગ્રામજનોમાં હાશકારો થયો છે. દીપડો રહેણાંકમાં માનવીએ ખલેલ પહોંચાડતા તે માનવવસ્તી તરફ ઝડપી રીતે આગળ વધી રહ્યો છે. આ મામલે વનવિભાગે પાંજરું મુકતા દીપડો પકડાયો છે, પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જરૂરી


