Gujarat

છોટાઉદેપુર તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકો સામેં ખોટી કનડગત કરાતી હોય જે અંતર્ગત આવેદનપત્ર આપવામાં આવ્યું 

છોટાઉદેપુર તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ દ્વારા વ્યક્તિગત સ્થાનિકો પર વીજચોરીના કેસો કરવામાં આવતા જેની સામે ગ્રામ્ય વિસ્તારના લોકો અને આદિજાતિ ડિરેકટર જશુભાઈ રાઠવા ની આગેવાનીમાં આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
 જેમાં જણાવ્યા અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીના બોર ઉપર મોટર લાગેલી હોય જે ગેરરીતિ સ્થાનિક વ્યક્તિગત લોકો ઉપર કેસો કરવામાં આવ્યા હોય તેમજ કુટિર જ્યોત  યોજના અંતર્ગત ૧૨૦૦ ઉપરાંત અરજીઓ હાલ પેન્ડીંગ માં હોય તેની અમલવારી વહેલી તકે કરવામાં આવે તેમજ વિજિલન્સ દ્વારા કરવામાં આવેલા ખોટા કેસો દૂર કરાય તેવી માંગ સાથે આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220129_123211.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *