Gujarat

જામનગરના ધંધુસર ગામમાં ઘઉંના ઉભા પાકમાં આગ લાગતા ભારે નુકશાન

જામનગર
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઘઉંના પાકમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે વધુ એક બનાવ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામમાં બન્યો છે. ૧૫૦ વિઘાના ખેતરમાં ૭૦ વિઘાના ઘઉઁના પાકમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયરબ્રિગેડને જાણ થતા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ખંબાળિયાના ધંધુસર ગામે ૧૫૦ વિઘાના ઘઉઁના પાકમાં ૭૦ વિઘા જેટલો પાક આગના હવાલે થતા બળી ગયો હતો. તૈયાર થવા આવેલો ઘઉંનો પાક બળી જતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો હતો. ખંબાળિયા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ખેતરમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

A-fire-broke-out-in-a-standing-crop-of-wheat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *