જામનગર
જામનગરમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેરને મળેલી સતાની રૂએ હુકમ કરેલ છે કે, જામનગર જિલ્લાના બેડ તથા સોયલ ગામ પાસે આવેલા ટોલનાકાઓ પરથી પસાર થતા ટોલટેક્ષ ચુકવવાપાત્ર તમામ વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલનાકા પર ઠરાવેલી નિશ્ચિત જગ્યાએ થોભાવવું તથા સરકારે નક્કી કરેલો ટોલટેક્ષ ચુકવી તેની પહોંચ મેળવી અથવા નિયમાનુસાર મુક્તિ મળવાપાત્ર હોય તો તે અંગેનુ કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારી કે એજન્ટને બતાવીને તે બાદ જ ટોલનાકુ પસાર કરવું. વિશેષમાં ઉપરોક્ત ટોલનાકાઓ નજીક આવેલી જમીનના માલીકોએ વાહનો ટોલનાકામાંથી પસાર થવાને બદલે પોતાની ખાનગી માલીકીની જમીનમાંથી બાયપાસ થઇ શકે તેવો કોઇ બાયપાસ રસ્તો વાહન ચાલકોને પુરો પાડવા પર તા.૨૧-૦૧-૨૦૨૩ સુધી પ્રતિબંધ ફરમાવેલો છે. આ હુકમનો ઉલ્લંઘન કરનાર નિયમાનુસાર સજાને પાત્ર થશે. સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર અને જાહેરનામાઓથી જે વાહનોને ટોલટેક્ષ ચુકવવામાંથી મુક્તિ આપવામાં આવેલો હોય તેવા વાહનચાલકોને આ જાહેરનામાની જાેગવાઈ લાગુ પડશે નહી તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જણાવાયું છે.


