Gujarat

જૂનાગઢમાં વેપારીએ બીજી જગ્યાએ કામ કરવા જતા મજૂર પર મન દુઃખ રાખી હુમલો કર્યો

જૂનાગઢ
જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં પીપળા ખડકીમાં એક મજૂરને વેપારી પિતા-પુત્ર એ માર માર્યાની ઘટના સામે આવી છે. જેથી મજૂરને ઈજા પહોંચી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે. તેમજ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. તે પહેલા દાણાપીઠ વિસ્તારમાં આવેલી ગિરિરાજ અગરબત્તીમાં કામ કરતો હતો અને ત્યાંથી છુટા થઈ અન્ય દુકાને કામ કરવા લાગ્યો હતો. જેનું મનદુઃખ રાખી ગિરિરાજ અગરબત્તીના માલિકના પુત્ર ભાવીને મજૂરને ગાળો બોલવા લાગેલ અને બાદમાં મજૂરે ગાળો બોલવાની ના પાડતા બંને પિતા-પુત્ર ઉશ્કેરાઈને મજૂર અશફાક પર હુમલો કર્યો હતો. ગિરિરાજ અગરબત્તીના માલિક કિશોરભાઈ અને પુત્ર ભાવિને માર માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ બાબતે મજૂર અશફાકને ઇજાઓ થતાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર બાબતે હાલ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે.

File-02-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *