રાજકોટ જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ જેતપુર શહેર ભાજપ દ્વારા આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે કુપોષિત બાળકોને સરકાર તરફથી આપવામાં આવેલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સાથે આંગણવાડી વર્કર બહેનોને સરકાર દ્વારા આપવામાં આવતા પોષણયુક્ત ખોરાક આપીને કુપોષિત બાળકોની વ્યવસ્થિત રીતે સંભાળ રાખવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોના વાલીઓને મળી જરૂરી સહકારની સર્વે આગેવાનોએ ખાત્રી આપી હતી.
આ સમગ્ર આયોજનમાં શહેર ભાજપ પ્રમુખ રમેશ જોગી શહેર ભાજપ મહામંત્રી બાબુભાઈ ખાચરીયા,ઉપ પ્રમુખ અલ્પેશભાઇ વ્યાસ તેમજ રાજકોટ જિલ્લા મંત્રી બિંદિયાબેન મકવાણા તેમજ જેતપુર તાલુકા પંચાયતનાં ટીડી વિગેરેએ ઉપસ્થિત રહી, કુપોષિત બાળકોની સાર સંભાળ લીધી હતી.