ઊના – હાલ 5 ફૂટ સિમેન્ટના 10 પાઇપ મૂકી તેની ઉપર કાચો રસ્તો શરૂ કરવામાં આવ્યો હતો. જેના પગલે રાહદારીઓ ચાલી શકે અને ટુ-વ્હીલ અને રીક્ષા વાહન ચાલકો જઈ શકે તેવું હાલ મચ્છુન્દ્રી નદી પર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના કારણે આસપાસના 15 જેટલા ગામોના લોકોને પડતી હાલાકીનો અંત આવ્યો હતો. ખાસ કરીનને દેલવાડાની અલગ અલગ શાળામાં આવતા વિધાર્થીઓએ હાશકારો લીધો હતો. ગામના સરપંચ પતિ વિજયભાઈ બાંભણીયાએ બે દિવસ સતત સ્થળ પર ઉપસ્થિત રહીને કામગીરી કરાવતા લોકોએ આભાર માન્યો.


