ગિરગઢડા
ભરત ગંગદેવ.
પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ની અધ્યક્ષતામાં ગુજરાત અર્ધ લશ્કર સંગઠન ની હિંમતનગર ખાતે પોતાની પડતર માંગ ના કારણે રેલી નો કાર્યક્રમ કરેલ જેમાં ઉપ પ્રમુખ અરવિંદભાઈ ગુજરાત પ્રદેશ,જયંતીભાઈ સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ,અનિલભાઈ અને તુલસીભાઈ ગુજરાત પ્રદેશ મંત્રી ,કમલેશભાઈ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ,બાબુભાઈ અરવલ્લી જિલ્લા પ્રમુખ ,વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ,જગદીશભાઈ ગુજરાત પ્રદેશ કો ઓર્ડીનેટર,રાજેશભાઈ મહેસાણા જિલ્લા પ્રમુખ ,પ્રવીણભાઈ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ અને અન્ય આશરે અર્ધ લશ્કર સંગઠન ના 560 નિવૃત્ત જવાન ભાઈઓ અને શહીદ પરિવાર પોતાની પડતર માંગ માટે રેલી ના સ્વરૂપ મા કાર્યક્રમ કરી કલેક્ટર ને આવેદન આપ્યું.
ખાસ વાત જવાનો પોતાના માન , સન્માન ,સુવિધા અને હક માટે ની ચળવળ માં ખુબ ભારે વરસાદ પણ આ કાર્યક્રમ.ને સફળ રીતે કરેલ જવાનો નો જોમ જોસ્સો ખૂબ જ છે અને જ્યાં સુધી પોતાના હક સન્માન સુવિધા માટે કોઈ પણ હદે મહેનત કરી પ્રયત્નો કરી ચોક્કસ સફળતા મેળવીને જ જંપીશું અનુશાસન માં રહી પોતાની વાત સરકાર સુધી પહોંચે અને સમસ્યાનું નિરાકરણ ના થાય ત્યાં સુધી પ્રયત્નો કરતા રહેશું.


