ગીરસોમનાથ
નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુલી પ્રારંભ કરાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહત્વપૂર્ણ અવસર પર ગુજરાત સરકાર, સોમનાથ મંદિર ટ્રસ્ટ અને સૌને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે આ બિલ્ડિંગને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે અહીં રહેતા લોકોને પણ ‘સી વ્યૂ’ મળશે. એટલે કે જ્યારે લોકો અહીં શાંતિથી મુસાફરો પોતાના રૂમમાં બેસી જશે ત્યારે તેમને દરિયાના મોજા પણ જાેવા મળશે અને સોમનાથનું શિખર પણ જાેવા મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે સંજાેગોમાં સોમનાથ મંદિરનો નાશ થયો હતો અને જે સંજાેગોમાં સરદાર પટેલના પ્રયાસોથી મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો તે બંને આપણા માટે મોટો સંદેશ છે. આપણે વિશ્વના ઘણા દેશો વિશે સાંભળીએ છીએ કે તેમની અર્થવ્યવસ્થામાં પર્યટનનું યોગદાન કેટલું મોટું છે. આપણી પાસે દરેક રાજ્યમાં, દરેક ક્ષેત્રમાં આવી અનંત શક્યતાઓ છે. સાંસ્કૃતિક વારસાનો વિકાસનો ઉલ્ળેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા ૭ વર્ષોમાં, દેશે પર્યટનની ક્ષમતાને સાકાર કરવા માટે સતત કામ કર્યું છે. આજે પ્રવાસન કેન્દ્રોનો આ વિકાસ માત્ર સરકારી યોજનાનો ભાગ નથી, પરંતુ જનભાગીદારીનું અભિયાન છે. દેશના હેરિટેજ સ્થળો, આપણા સાંસ્કૃતિક વારસાનો વિકાસ આનું ઉત્તમ ઉદાહરણ છે. આજે દેશ પર્યટનને સર્વગ્રાહી રીતે, સર્વગ્રાહી રીતે જાેઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વના ચાર પાસાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં પ્રવાસન વધારવા માટે ચાર બાબતો જરૂરી છે. પ્રથમ સ્વચ્છતા- અગાઉ આપણા પ્રવાસન સ્થળો, પવિત્ર યાત્રાધામો પણ અસ્વચ્છ હતા. આજે સ્વચ્છ ભારત અભિયાને આ ચિત્ર બદલ્યું છે. પ્રવાસન વધારવા માટે સમય એ ત્રીજું મહત્વનું પાસું છે. આજે ટ્વેન્ટી-ટ્વેન્ટીનો યુગ છે. લોકો ઓછામાં ઓછા સમયમાં મહત્તમ જગ્યા આવરી લેવા માંગે છે. ટુરિઝમ વધારવા માટેની ચોથી બાબતનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે આ ચોથી બાબત આપણી વિચારસરણી છે. આપણી વિચારસરણી નવીન અને આધુનિક હોવી જરૂરી છે. પરંતુ તે જ સમયે આપણને આપણા પ્રાચીન વારસા પર કેટલો ગર્વ છે, તે ઘણું મહત્વનું છે. આઝાદી પછી, દિલ્હીમાં માત્ર થોડા પરિવારોનું પુનઃનિર્માણ થયું. પરંતુ આજે દેશ એ સંકુચિત વિચારસરણીને પાછળ છોડીને ગૌરવની નવી જગ્યાઓ બનાવી રહ્યો છે, તેમને ભવ્યતા આપી રહ્યો છે. દિલ્હીમાં બાબાસાહેબ મેમોરિયલનું નિર્માણ આપણી જ સરકારે કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ મહાપૂજા અને દર્શનમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, કલાકાર મયુર વાકાણી, અરવિંદ વેગડા સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડા, સોમનાથ ટ્રસ્ટના આફીસર દિલીપસિંહ ચાવડા સહિતના મહાનુભાવો જાેડાયા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતવર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે રૂ.૩૦.૫૫ કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો આજે શુક્રવારે સવારે ૧૦ કલાકે વર્ચ્યુલી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જાેડાયા હતા. નોંધનીય છે કે રાજ્ય સરકારના માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં આજે સવારે ૧૦ કલાકે આ ઉદ્ધઘાટન સમારોહ યોજાયો હતો. રાજ્યના માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઈ મોદી અને ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ ભગવાન સોમનાથ મહાદેવને શીશ નમાવી તત્કાલ મહાપૂજા કરી હતી. ત્યારબાદ આ મહાનુભાવોએ સોમનાથ મંદિરના પ્રાંગણમાં આવેલા ભગવાન ગણેજીના મંદિરના ભાવપૂર્વક દર્શન અને વીર હમીરજી ગોહિલ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંત્રીઓને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું.


