હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી…
યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે નવા વર્ષના પાવન પર્વ નિમિત્તે પૂર્વ વાહીની સરસ્વતી નદી કિનારે જાંબુડા નીચે બિરાજમાન શ્રી માધવરાયજી તથા લક્ષ્મીજી મંદિર ખાતે અન્નકૂટ દર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું આ મંદિરના મહંતશ્રી ઋષિગીરી બાપુ દ્વારા મંદિરમાં વિશેષ શણગાર તથા પૂજા અર્ચના, મહા આરતી, સંતવાણી ભજન સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા અને આજુબાજુ વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં ભક્ત જનો અને તહેવાર નિમિતે પધારેલ યાત્રિકોએ અન્નકૂટ દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.


