પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ.૬૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિસ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત આધાર ઈ–કે.વાય.સી. પૂર્ણ કરવાનું રહશે. જે ખેડૂતોને ઈ–કે.વાય.સી.અને આધાર સીડેડ નહી કરાવ્યું હોય તેમને હવે પછીથી સહાયના હપ્તા સરકાર તરફથી બેંક ખાતામાં જમા કરવામાં આવશે નહી.
ગીર સોમનાથ જિલ્લામાં ૪૨,૦૦૦ ખેડૂતોને ઇ–કે.વાય.સી. કરવાનું બાકી છે. આથી તેમને આગામી ૧૩મો હપ્તો નહિ મળી શકે. જે ખેડૂતોને ઈ–કે.વાય.સી. કરવાનું બાકી હોય તેઓએ તાત્કાલિક ધોરણે બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર અને ઈ–ગ્રામ કેન્દ્રમાં જઇ કરાવી શકાશે અને તે માટે રૂ.૧૫ ની ફી ચુકવવાની રહશે.
આ ઉપરાંત મોબાઈલ ફોન પર ઓટીપી બેઝડ ઈ–કે.વાય.સી. પણ કરી શકાશે. લાભાર્થીઓ પોસ્ટ ઓફીસ ખાતેથી પણ ઇ–કે.વાય.સી. અને આધારકાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરી શકશે. લાભાર્થી આધાર સીડેડ અને ઈ–કે.વાય.સી. કરાવેલ બેંક ખાતામાં જ સરકાર દ્વારા સહાય જમા કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે ગ્રામસેવકનો સંપર્ક સાધવો એમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત ગીર સોમનાથની એક યાદીમાં જણાવ્યું છે.
