બોડેલી
બોડેલી તાલુકાના ચાચકનો લક્ષ્મી સોસાયટીમાં આવેલી દુકાન જેનો નંબર ૭૩/છ/૨૩ છે. જેના માલિક ખત્રી જૈનાબ બેન ઈરફાનભાઈએ આજથી બે માસ પૂર્વે દુકાન માટે સ્.ય્.ફ.ઝ્ર.ન્.એમ.જી.વી.સી.એલ.માં નવા વિજપુરવઠાની માગ માટે આરજી કરી હતી. જેને લઈ સ્.ય્.ફ.ઝ્ર.ન્. એમ.જી.વી.સી.એલ.દ્રારા એસટીમેંટ આપવામાં આવ્યું હતું. જેના ૬૦૬૭ રૂપિયા ગ્રાહકે ૧-૨-૨૦૨૨ના રોજ ભરી દીધા હતા. પરંતુ નવું વીજ મીટર નાખવામાં ના આવતા ગ્રાહકે બોડેલી સ્.ય્.ફ.ઝ્ર.ન્. પર જઈ નવું મીટર લગાડવામાં આવ્યું નથી, તેવી જાણ કરતાં વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું કે તમારી દુકાનમાં વીજ મીટર લગાડી દેવામાં આવ્યું છે. ત્યારબાદ ગ્રાહકે દુકાન પર જઈ જાેયું તો વિજમીટર લગાડવામાં તો આવ્યું હતું. પરંતુ જે મીટર લગાડવામાં આવ્યું હતું તે જૂનું હતું અને તેનું મીટર રીડિંગ ૫૫૫૭ હતું. જેથી તાત્કાલિક સ્.ય્.ફ.ઝ્ર.ન્.એમ.જી.વી.સી.એલ.ની ઓફિસમાં ગ્રાહકે જાણ કરી હતી. જેથી વીજ કંપનીના ડે. એંજિનિયરે જણાવ્યુ હતું કે જે મીટર તમારી દુકાને લાગેલું હતું. તે તમારા નામ પર કરી દેવામાં આવ્યું છે. અધિકારીના કહેવા પ્રમાણે જે દુકાન પર મીટર લાગેલ હતું. તો ટ્રાન્સફર નવા ગ્રાહકના નામ પર કર્યું તો તેમણે એસટીમેંટ ચાર્જ કેમ ભરાવ્યો…? ડોક્યુમેન્ટ નવા કનેક્શનના કેમ માગ્યા..? એ પણ એક સવાલ થઈ રહ્યો છે. જેથી ગ્રાહકે જે મીટર રીડિંગ છે તેનું શું…? તેવું અધિકારીને કહેતા અધિકારીએ રીડિંગ જે હોય તે પ્રમાણે પૈસા ભરી દેવા પડશે. તેમ જણાવતા ગ્રાહકના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કેમકે જે રીડિંગ હતું તે પ્રમાણે ૭૦ હજાર ભરવા પડે તેમ હતા. અધિકારીએ તે પૈસા તમારે ભરવા પડશે, તેમ જણાવી ઉદ્ધાતાઈ ભર્યું વર્તન પણ કર્યું હતું . હવે સવાલ એ ઊભો થાય છે કે જે નવા વીજ મીટર માટે માંગણી ગ્રાહકે કરી તો તેને ઝીરો-ઝીરોવાળું નહીં પરંતુ ૫૫૫૭ રીડિંગ ફરી ગયેલું જૂનું મીટર કેમ…? ફક્ત વીજ પુરવઠાની માગ ૨ માસ થયો છે. વીજ કનેક્શનનો ઉપયોગ કર્યો નથી. દુકાન ચાલુ કરી નથી. તો કેમ વીજ મીટરના રીડિંગ પ્રમાણે બિલ ગ્રાહક ભરે…? પણ અધિકારી ગ્રાહકની વાત સાભાળવા તૈયાર નથી. બોડેલી સ્.ય્.ફ.ઝ્ર.ન્. એમ.જી.વી.સી.એલ.ના ડે. ઇંજિનિયરની આડોડાઈને લઈ દુકાનદાર પોતાની દુકાન ચાલુ કરી શકતો નથી. ત્યારે દુકાનદારની વાત અધિકારી સાભાળવા તૈયાર ના હોઇ ગ્રાહકે બોડેલી મામલતદારને ફરિયાદ કરતી અરજી આપી છે. આ બાબતે જાે યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર અને સાચી હકીકત સામે આવે તેમ છે. સવાલ એ પણ ઊભો થાય છે કે ગ્રાહકે વીજ પુરવઠાનો ઉપયોગ કાર્યો જ નથી તો બિલ ભરવા માટે કેમ ગ્રહાકને દબાણ કરવામાં આવે છે. હાલ તો દુકાનદાર તેની દુકાન શરૂ કરી શકતો નથી. ત્યારે ગ્રાહક માગ કરી રહ્યો છે. અગાઉના વિજ ગ્રાહકે વિજ મીટર વાપર્યું અને કોક કારણોસર વિજ બિલ બનતું ન હતું. તે બિલ અત્યારના વપરાશ કર્તા ભરે કે અગાઉના વપરાશ કર્તા ભરે પણ ભરવું જ પડે. તેમ વિજ અધિકારી એન. ટી. રાઠવાએ જણાવ્યું હતું. દુકાન માટે વિજ મીટર લેવા મટેનો પ્રોસેસ કર્યો અને છેવટે જૂનું મીટર નાખ્યું અને હવે ૭૦ હજાર રૂપિયા બિલ આવતા ભરવા માટે કહે છે. તેમ દુકાનદાર ઈરફાન ખત્રીએ જણાવ્યું હતું.