આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા ને લઈને બોડેલી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે મળીને તિરંગા રેલી કાઢવામાં આવી
બોડેલી પીએસઆઇ સહિત પોલીસ સ્ટેશન નો તમામ સ્ટાફ સાથે મળીને તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી યાત્રા ને લઈને બોડેલીમાં દેશભક્તી નો માહોલ જોવા મળ્યો હતો બોડેલી ના પી.એસ.આઇ એ એસ સરવૈયા અને સીપીઆઇ વસાવા સાથે પોલીસ સ્ટાફ કાફલા સાથે તિરંગા યાત્રા પોલીસ સ્ટેશન થી નીકળી અલીપુરા ચોકડી , ઢોકલિયા સુઘી યાત્રા કાઢવામાં આવી હતી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા દેશના તમામ નાગરિકોને તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે બોડેલી પોલીસ દ્વારા તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


