|
ભારતીય સંસ્કૃતિમાં સંતો-ઋષિઓની દરેક તહેવારોની જેમ હોળીની ઉજવણી પાછળ ધર્મ સાથે વિજ્ઞાન અને સામાજીક લોકહિતની વિચાર ધારા છુપાયેલી છે આ વખતે હોળી તા.૧૭ માર્ચ ૨૦૨૨ને ગુરુવારે ઠેર ઠેર પ્રગટાવાશે ત્યારે દર્શનાર્થે જતાં સૌ કોઈ શ્રધ્ધાળુઓ કોરોના ગાઈડ લાઈન મુજબ વર્તે પરંતુ હોળીમાં શ્રદ્ધા પૂર્વક હોમવા અનાજ જેવા પદાર્થો સાથે લઈને જાય ત્યારે તેની સાથે તલ,જવ,કપૂર, ગુગળ, લવિંગ,એલચી જેવા ઔષધીય ગુણો ધરાવતા પદાર્થો પણ સાથે લઈ જાય અને જો તે હોળીમાં હોમવામાં આવે તો જે તે સ્થળ-વિસ્તારના વાયુ- વાતાવરણમાંથી અશુદ્ધિઓ દૂર કરવામાં અને કોરોના વાયરસનાં જીવાણુઓનો નાશ કરવામાં મદદગાર સાબિત થશે તેમજ હોળી પ્રગટાવવામાં ગાયનાં સૂકાં છાણાં,આંબો,ખીજડો,વડ, પીપળો, જેવા ઔષધીય ગુણો ધરાવતા સૂકાં કાષ્ટનો ઉપયોગ પણ પર્યાવરણને શુધ્ધ આરોગ્યપ્રદ બનાવવામાં સહાયરૂપ થશે વૈદિક- ઔષધીય ગુણો ધરાવતા પદાર્થો સૌ કોઈ યથાશક્તિ હોમે કે ફાળો આપે તો પોતાનું,પરિવારનું, સમાજ-રાષ્ટ્ર કલ્યાણના સૌ કોઈના આરોગ્યને લાભદાયક બનાવવાનું યોગદાન કરી જીવનમાં સમાજોપયોગી યોગી બન્યાનો લ્હાવો લીધાનો અવસર-સંતોષ પ્રાપ્ત થશે તેમ ગાયત્રી પરિવાર નારણપુરાના કનુભાઈ પટેલે જણાવ્યું છે
![]() ![]() Attachments area
|
|
|




