રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા આજે તા.12 જુલાઈના રોજ જામનગર જિલ્લાની મુલાકાત લેશે.તેઓ આજે કલેકટર કચેરી ખાતે જિલ્લાની વરસાદી સ્થિતિ અંગેની જિલ્લા કલેકટરશ્રી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરશે.
