માંગરોળ બંદર ની શ્રી પરમેશ વિઘાલયમાં શિક્ષક હિતેષભાઈ જે અધ્વર્યું શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૨૦ વષૅ થી શ્રેષ્ઠ કામગીરી બદલ
જુનાગઢ જીલ્લા માધ્યમિક વિભાગનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એન. પી ભાલોડીયા સ્કૂલ જુનાગઢ મુકામે એનાયત કરતા શિક્ષણ ક્ષેત્રે માંગરોળનુ ગૌરવ વધાર્યું છે.
આ તકે ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ પ્રેરિત
જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણાધિકારી કચેરી, જૂનાગઢ દ્વારા આયોજીત
આ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ના કાર્યક્રમમાં હિતેશભાઈ જે અધ્વર્યું નું સાલ ઓઢાડી સન્માન કરી જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન કટારીયા ના વરદ હસ્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપવામાં આવ્યો હતો
આ તકે ગુજરાત સરકારના પશુપાલન ગૌ સંવર્ધન વિભાગ ના રાજ્યકક્ષાના મંત્રી શ્રી દેવાભાઈ માલમ પણ આ કાર્યક્રમમાં હાજર રહી શ્રેષ્ઠ શિક્ષકોને બિરદાવ્યા હતા,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

