રાજકોટ
રાજકોટ શહેરમાં બે લોકોના મોત થયા છે. એક કોવિડ પોઝિટિવ દર્દી હતો અને અન્ય ૐ૧દ્ગ૧ ફ્લૂની સારવાર લઈ રહ્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (ઇસ્ઝ્ર) મુજબ, ૮૮ વર્ષીય મહિલા કે, જે પેસમેકર સાથે હૃદયની દર્દી હતી, તેને ૨ ઓગસ્ટના રોજ શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવી હતી. આ વચ્ચે તેણીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલાએ કોઈ રસી લીધી ન હતી. તેનું શુક્રવારના રોજ અવસાન થયું હતું. ૐ૧દ્ગ૧ ફ્લૂનો દર્દી ૪૧ વર્ષનો માણસ હતો અને તેને હૃદયની સમસ્યા હતી. શનિવારના રોજ તેમનું અવસાન થયું હતું. ઇસ્ઝ્ર અનુસાર, છેલ્લા એક મહિનામાં કુલ છ લોકોએ ૐ૧દ્ગ૧ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે. શનિવારના રોજ કુલ ૫૬ લોકોએ કોવિડ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું.

