Gujarat

રાજયમાં ફરી એકવાર કડકમાં કડક નિયંત્રણો આવી શકે છે

અમદાવાદ
સરકાર કોરોનાના કેસને લઈ ઊભી થયેલી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. જાે પ્રજા સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવા નિયમોનું પાલન નહીં કરે તો સરકાર કેટલાક આકરા પ્રતિબંધો લગાવે તેવી પૂરી શક્યતા છે. બે દિવસ સુધી સરકાર સ્થિતિની સમીક્ષા કરશે અને ત્યાર બાદ કોવિડ ટાસ્કફોર્સના સૂચનો અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ ર્નિણય કરશે. નવી ગાઇડલાઇન્સમાં ખાસ કરીને મોલ-મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોટલ-રેસ્ટોરાં, પાનના ગલ્લાઓ અને ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા મર્યાદિત કરે એવી શક્યતાઓ છે. સરકારી અને ખાનગી ઓફિસોમાં ૫૦ ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની છૂટ આપવામાં આવી શકે છે તેમજ ૧૦ ઉપરાંત અન્ય શહેરોમાં નાઇટ કર્ફ્‌યૂ લાદવામાં આવી શકે છે.ગુજરાતમાં કોરોના હવે ઘરે ઘરે પહોંચી ગયો છે. કોરોનાની ગંભીર થયેલી સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સરકારે કોવિડ ટાસ્કફોર્સના સભ્યોથી લઈ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરો સહિતના અધિકારીઓ સાથે બેઠકોનો દૌર શરૂ કર્યો છે. કોવિડ ટાસ્કફોર્સના સભ્યોએ સરકારને નિયંત્રણો કડક કરવા અને લગ્નોમાં સંખ્યા ઘટાડવા જેવા અનેક મુદ્દાઓ પર સૂચનો કર્યાં છે. જાે શનિવાર સુધીમાં કોરોનાના કેસો આ જ ગતિએ વધતા રહેશે તો સરકાર રવિવારથી નિયંત્રણો વધુ કડક કરશે, જેમાં નાઇટ કર્ફ્‌યૂનો સમય રાતના ૧૦ને બદલે ૯થી સવારના ૬ વાગ્યાનો કરી શકે, જ્યારે લગ્નોમાં મહેમાનોની છૂટ ૧૫૦થી ઘટાડી ૧૦૦ કરે તેવી શક્યતા છે.

1.69-crore-fine.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *