બોટાદ જીલ્લાના રાણપુરમાં
મહિલા અને બાળ વિકાસ શાખા દ્વારા તાલુકા પંચાયત ખાતે નવ નિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગરને નિમણૂંક પત્ર વિતરણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું. જેમા રાણપુર, નાગનેશ,મોટી વાવડી, જાળીલા ગામના કાર્યકર અને તેડાગર બહેનોને તાલુકા પંચાયત ના પ્રમુખ વિનોદભાઈ સોલંકી, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન હીરાભાઈ ખાણીયા, તાલુકા પંચાયત સદસ્ય મનસુખભાઈ રંગપરા તથા સી. ડી.પી.ઓ. રેહાનાબેન કાઝી ના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં આઈ. સી. ડી.એસ. કર્મચારી ધવલભાઈ સિંગલ, દર્શનભાઈ દવે, નરગીસબાનું પરમાર તથા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કાર્યક્રમ સફળ રહ્યો હતો…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


