આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લીલીયા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા તેમજ સાંસદ નારણભાઇ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું યાત્રા સો પ્રથમ બાબા સાહેબ ની પ્રતિમા ને ફૂલ હાર કરી ત્યાર બાદ સરદાર ચોક ખાતે સરદાર સાહેબ ના સ્ટેચુ ને પુષ્પ માળા પહેરાવી ભારત માતા કી જય વંદે માતરમ અને ડી.જે માં દેશ ભક્તિ ના ગીત સાથે શહેર ના મુખ્ય માર્ગો પર ફરેલ
આ તકે જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ સુરેશભાઈ પાનસુરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી, મહામંત્રી ગૌતમભાઈ વિંછિયા, જીગ્નેશભાઈ સાવજ, પ્રભારી ધીરુભાઈ માયાણી,જી.પ શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલભાઈ દુધાત,જી. ભીખુભાઇ ધોરાજીયા , સંદીપ માંગરોળીયા, કેતનભાઈ ઢાંકેચા સહીત લીલીયા કુમાર શાળા તેમજ લીલીયા કન્યા શાળા ના આચાર્ય શ્રી ઓ ભૂમિકા બેન જીગ્નેશ ભાઈ સહીત વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ તેમજ સંગઠન ના હોદેદારો, વિવિધ મોરચાના હોદેદારો, ચૂંટાયેલા તાલુકા પંચાયત સદસ્યો સરપંચ શ્રી ઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


