તા ૨૩/૪/૨૨ ના રોજ લીલીયા મોટા ના સરપંચ જીવન ભાઈ વોરા દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર નાની સિંચાઈ યોજના લીલીયા ને પત્ર પાઠવવા માં આવેલ જેમાં જણાવવા માં આવેલ કે લીલીયા ગામ માં થી નીકળતી નહેર માં ખુબજ બાવળ તેમજ કાદવ માટી ભરાઈ ગયેલ હોય જેના કારણે ચોમાસા મા બહાર થી પાણી ખૂબ આવે છે જે પાણી નહેર માં યોગ્ય રીતે ન ચાલતા પાણી ગામ માં ગરીબ વિસ્તારો માં રેલાઈ છે જેના કારણે ગરીબ લોકો ના મકાનો પડી જાય છે ઘરવખરી તણાઈ જાય છે લોકો ને ખૂબ મુશ્કેલી પડે છે લોકો ખૂબ હેરાન પરેશાન થાઈ છે તેમજ નહેર અસમતલ હોવા થી પાણી ન ખાડા ભરાઈ જાય છે ગંદુ પાણી દુર્ગંધ મારે છે તેમજ મછરો નો ત્રાસ ફેલાઈ છે રોગ શાળો ગંભીર રીતે વધે છે હાલ ગ્રામ પંચાયત લીલીયા પાસે કોઈ ભંડોળ ન હોવા થી સફાઈ કરી શકે તેમ નથી જેથી આપ ની પાસે ઘા નાખીએ છીએ તો આપ સાહેબ ઘટતું કરી ત્વરિત ચોમાસા પહેલા નહેર ની સફાઈ કરાવી આપવા લીલીયા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા પત્ર પાઠવી રજુવાત કરવા માં આવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


